લદ્દાખમાં મોટો માર્ગ અકસ્માત, 26 સૈનિકોને લઇ જતી બસ શ્યોક નદીમાં પડતા 7 જવાનના મોત

Date:

Share

સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ શ્યોક નદીમાં પડી હતી

 

લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં 7 જવાનોના મોત થયા છે અને ઘણા ઘાયલ થયા હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા.

લદ્દાખમાં 26 જવાનોથી ભરેલી બસ નદીમાં પડી છે. આ દુર્ઘટનામાં સેનાના સાત જવાનોના મોત થયા છે અને ઘણા જવાનો ઘાયલ હોવાનું કહેવાય છે. અકસ્માત બાદ તરત જ જવાનોને બચાવી લેવાયા હતા. તેમને હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ આ અકસ્માતમાં સાત સૈનિકોના મોત થયા હતા અને ઘણાને ગંભીર ઈજાઓ પણ થઈ હતી.

આ દુર્ઘટના થોઇસથી લગભગ 25 કિમી દૂર થઈ હતી. જ્યાં સેનાની બસ લગભગ 50-60 ફૂટની ઉંડાઈએ શ્યોક નદીમાં પડી હતી. જેમાં સેનાના તમામ જવાનો ઘાયલ થયા હતા. તમામ જવાનોને પરતાપુરની 403 ફિલ્ડ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સર્જિકલ ટીમોને લેહથી પરતાપુર મોકલવામાં આવી હતી. જો કે આમાંથી સાત જવાનોને મૃત જાહેર કરવામાં આવ્યા છે.

સેનાનું સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી

ગંભીર રીતે ઘાયલ જવાનોની મદદ માટે એરફોર્સનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. તેને સારવાર માટે વેસ્ટર્ન કમાન્ડમાં મોકલી શકાય છે. આર્મીની બસ કયા કારણોસર રોડ પરથી લપસીને નદીમાં પડી તે હજુ સ્પષ્ટ થયું નથી. આ ઘટના અંગે સેના દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. પરંતુ પ્રાથમિક માહિતી અનુસાર, સૈનિકોની બસ ટ્રાન્ઝિટ કેમ્પથી સબ સેક્ટર હનીફના ફોરવર્ડ પ્લેસ તરફ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માત થયો.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!