દરેક રાશિ માટે અલગ-અલગ રત્નો સૂચવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા હંમેશા જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ બતાવીને રત્ન પહેરવા જોઈએ, કોઈપણ જાણકારી વગર રત્ન ન પહેરવા જોઈએ.
દરેક રાશિ માટે અલગ-અલગ રત્નો સૂચવવામાં આવ્યા છે. જ્યોતિષ શાસ્ત્ર દ્વારા હંમેશા જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ બતાવીને રત્ન પહેરવા જોઈએ, કોઈપણ જાણકારી વગર રત્ન ન પહેરવા જોઈએ. એવું કહેવાય છે કે જો જ્ઞાન વગર રત્ન પહેરવામાં આવે તો તેની નકારાત્મક અસર પણ થઈ શકે છે. તમે તમારી જન્મ તારીખના મુજબ તમે કયો નંગ કે રત્ન ધારણ કરી શકો તેની જરૂરી માહિતી આ રિપોર્ટમાં અમે આપી છે અને વાચક મિત્રોને ખાસ જણાવવાનું કે તમે નંગ કે રત્ન ધારણ કરો તેની ગુણવત્તા અને ખરાઈની ખાત્રી હોવી જરૂરી છે કારણ કે સાચો નીલમ ટાઈટેનીક જેવુ મોટું જહાજ ડુબાડી શકે છે જ્યારે અમિતાભ બચ્ચનને એ જ નિલમ તેમના કરિયરની બીજી ઇનિંગ્સ પણ શરુ કરાવી શકે છે. મતલબ કે સાચા રત્નો પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રકારે અસરો કરે છે. જ્યોતિષ અને રત્નશાસ્ત્રમાં આ ચાર રત્નોને ધન માટે શ્રેષ્ઠ ગણાવવામાં આવ્યા છે.
ગોલ્ડન રત્નઃ-
ધનની દ્રષ્ટિએ ગોલ્ડન રત્ન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે તેને પહેરવાથી ઘરમાં ધનનો સંચય થાય છે. તેને પોખરાજનો વિકલ્પ પણ કહેવામાં આવે છે. તેને પહેરતા પહેલા એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.
જેડ સ્ટોનઃ-
જો કામ કોઈ કામ ન કરી રહ્યું હોય અને તમારી પાસે આવકનું કોઈ સાધન ન હોય તો જેડ સ્ટોન એકદમ યોગ્ય રત્ન છે. આ પહેરવાથી તમારું નવું કામ શરૂ થશે.
પન્ના રત્નઃ-
જો તમે નોકરી કરો છો અને કન્યા રાશિ ધરાવો છો તો પન્ના ખૂબ જ ખાસ છે. આ રાશિના લોકોએ પન્ના ધારણ કરવો જોઈએ. તેને પહેરવાથી નોકરીમાં પ્રમોશન અને સુખ-સમૃદ્ધિ આવે છે.
પુખરાજ રત્નઃ-
પુખરાજ ગુરુનું રત્ન છે. તે સુખ માટે પહેરવામાં આવે છે. કહેવાય છે કે આ રત્ન ધારણ કરવાથી જીવનમાં સમૃદ્ધિ આવે છે.