કોંગ્રેસે ઓબીસી કમિશનમાં કરી આ મામલે રજૂઆત, જગદિશ ઠાકોર-અમિત ચાવડાએ કરી રજૂઆત

Date:

Share

કોંગ્રેસે પણ બીજેપીની જેમ જ ઓબીસી કમિશનમાં રજૂઆત કરી હતી. ઓબીસી સમાજને બંધારણીય હક આપવા માટે કોંગ્રેસે રજૂઆત કરી હતી. કોંગ્રેસ નેતા જગદિશ ઠાકોરે કહ્યું કે, સમાજનો અવાજ અમે પંચ સમક્ષ રજૂ કર્યો છે. વસ્તી પ્રમાણે ઓબીસી અનામત આપવા માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. વસ્તીમાં આંકડામાં છેડછાડના આદેશ આપવામાં આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. જગદિશ ઠાકોરે વધુમાં કહ્યું કે, ઓબીસી સમાજની જે માંગ છે તે અવાજને અમે પંચની સમક્ષ આજે રજૂ કર્યો છે.

– 3,252 ગ્રામ પંચાયતોમાંથી ઓબીસી અનામત દૂર થવાની શક્યતાઓ ઉભી થઈ

ઓબીસી અનામત મુદ્દે સ્વતંત્ર પંચની રચના કરવા આદેશ સરકાર તરફથી અપાયો છે. ત્યારે અનામત મુદ્દે કહ્યું કે, 3,252 ગ્રામ પંચાયતોમાંથી ઓબીસી અનામત દૂર થવાની શક્યતાઓ ઉભી થઈ હતી. ચૂંટણીમાં સરકાર દ્વારા સ્વતંત્ર પંચની રચના અનામત મુદ્દે કરાઈ છે. હાઈકોર્ટના નિવૃત જજ કે.એસ. ઝવેરીની અધ્યક્ષતામાં પંચની નિમણૂક કરાઈ છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના અન્ય પછાત વર્ગોનું પ્રતિનિધિત્વ પંચ દ્વારા નિર્ધારીત કરાશે. પછાતપણાના સ્વરુપો અને અસરોનો અભ્યાસ પંચ દ્વારા કરાશે. રાજનીતિ સ્થિતિ અનુસાર આંકડા એકત્ર કરી તેનું વિશ્લેષણ અને અભ્યાસ કરાશે.   


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!