અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રીય બેરોજગાર દિવસ નિમિતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દર વર્ષે 2 કરોડ યુવાઓને રોજગાર આપવાનો લોલીપોપ આપ્યું હતું જેના અનુસંધાને આજ રોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે યુવા કોંગ્રેસ દ્વારા લોલીપોપ આપી વિરોધ પ્રદર્શન કરાયું, યુવા પ્રમુખ શરીફ ભાઈ કાનુગાના જણાવ્યા અનુસાર એક આરટીઆઇ ની માહિતી મુજબ 2014 થી લઈને 2022 સુધી 8 વર્ષની આ મોદી સરકારના રાજમાં અંદાજે 22 કરોડની લોકોની આસપાસ ની અરજીઓ આવી છે ફક્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વાયદા પ્રમાણે જ વાત કરીયે તો 8 વર્ષમાં 16 કરોડ લોકોને રોજગાર મળવો જોઈએ એની જગ્યાએ ફક્ત 7 લાખ 22 હાજર લોકોને રોજગાર મળ્યો છે, યુવાનોને રોજગાર આપવાના નામે અપાયેલ લોલીપોપ કારણે આજ રોજ યુવા કોંગ્રેસ દ્વારા ત્રણ રસ્તા ખાતે રાહદારીઓ અને યુવાનોને લોલીપોપ આપી વિરોધ કરીયે છીએ અને તાત્કાલિક એક કરોડ જેટલી સરકારી જગ્યાઓ ખાલી પડી છે એની ભરતી કરી યુવાનોને રોજગાર આપવું જોઈએ.
અંકલેશ્વર ત્રણ રસ્તા સર્કલ પાસે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો
Date: