અંકલેશ્વર પ્રતિન ચોકડી પર શ્રમજીવી પરિવારો વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. 1 ને ગંભીર ઇજા સાથે સારવાર હેઠળ ખસેડાયો હતો. બે દિવસ પૂર્વે જ જાહેરમાં બે શ્રમજીવી જૂથ વચ્ચે મારામારી થઇ હતા.
જુના નેશનલ હાઇવે નંબર 8 પર પ્રતિન ચોકડી નજીક આવેલી ઝુપડપટ્ટી વિસ્તાર માં રોડ પાસે રહેતા શ્રમજીવી પરિવારો છાશવારે ઝઘડા સર્જાય રહ્યા છે. બે દિવસ પૂર્વે થયેલ ઝઘડા બાદ બુધવારના રોજ પુનઃ બે શ્રમજીવી ગ્રુપ વચ્ચે હિંસક મારામારી સર્જાઈ હતી જ્યાં લાકડાના ડંડા વડે કરવામાં આવેલા હુમલા માં એક ઈસમ ઘાયલ થયો હતો.
તો અન્ય ને નાની મોટી ઇજા પહોંચી હતી.સ્થાનિકો 108 ને જાણ કરતા 108 ટીમ સ્થળ પર દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત ઈસમ ને સારવાર અર્થે ખસેડ્યો હતો તો અંકલેશ્વર સીટી બી ડિવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી ટોળા ને વિખેરી બનાવ સંદર્ભે ગુનો નોંધવાની તજવીજ આરંભી હતી. આ વિસ્તારમાં વધી રહેલાં શ્રમિકોના ત્રાસ તેમજ અસામાજીક પ્રવૃતિઓના પગલે સ્થાનિક રહીશોમાં રોષ ફેલાયો છે.