અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં મેઘમણી ચોકડી નજીક આવેલા પ્લોટ નંબર 4705/2/5 પર આવેલી કાલાવ્યા કેમિકલ કંપનીના પાછળના ભાગમાં ગત 21મી નવેમ્બર 2022ના રોજ 30થી 35 વર્ષીય અજાણ્યો શખ્સ શ્વાનના ગલૂડિયા સાથે એક અઠવાડિયાથી સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય આચરતો હતો. જેનો અન્ય શખ્સે વીડિયો બનાવીને અમદાવાદની એનિમલ વેલ્ફેર ટ્રસ્ટને મોકલી આપી જાણ કરી હતી.
આ ઘટનાની ગંભીરતા ધ્યાને રાખીને જો આ શખ્સ ગલૂડિયાં જોડે આવું કૃત્ય કરતો હોય તો દીકરી કેવી રીતે સુરક્ષિત રહી શકશે. આવા માનસિક વિકૃત ઈસમો સામે કડકમાં કડક કાર્યવાહી કરવા સંસ્થાના પ્રમુખ દીપા જોષીએ અને તેમના સાથી સભ્યો સાથે અંકલેશ્વર ખાતે દોડી આવ્યા હતા. આ સમગ્ર મામલે સંસ્થાએ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસ દ્વારા વીડિયો પુરાવાના આધારે અજાણ્યા શખ્સ વિરુદ્ધ આઈપીસી ધારા 377 પશુઓ પ્રત્યે ક્રુરતા પ્રતિબંધિત (11)(1) (એ) મુજબ ગુનો નોંધી તપાસ આરંભી હતી.