‘હિંદુ હોય કે મુસ્લિમ, જો જમીન પર કબજો કર્યો તો સારું નહીં થાય’ સીએમ હિમંતાએ ભૂમાફિયાઓને આપી ચેતવણી

Date:

Share

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે જમીન પર કબજો કરનારા તમામ લોકોએ જમીન ખાલી કરવી પડશે.

 

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ કહ્યું છે કે રાજ્યમાં જે લોકોએ મઠની જમીન પર કબજો કર્યો છે, પછી તે હિંદુ હોય કે મુસ્લિમ, તેણે તેને ખાલી કરવી પડશે. કોંગ્રેસના ધારાસભ્ય કમલાખ્યા દે પુરકાયસ્થે રાજ્ય વિધાનસભામાં ઝીરો અવર દરમિયાન આ મુદ્દો ઉઠાવ્યો, ત્યારે હિમંતા બિસ્વા સરમાએ આ સીધી ચેતવણી આપી દીધી.

સીએમ હિમંતાએ કહ્યું, ‘ભાજપ સરકાર જમીન ખાલી કરાવવાની કવાયત ચાલુ રાખશે અને તેના વિશે વાત કરવાનો કોઈ અર્થ નથી. આસામમાં સરકારી અને જંગલની જમીન ખાલી કરાવવાનું કામ જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે ત્યાં સુધી ચાલુ રહેશે.’

મુખ્યમંત્રી હિમંતાએ કહ્યું, ‘જમીન ખાલી કરવાનું કામ ચાલુ રહેશે. અમે બટદ્રાવા સહિત રાજ્યભરમાં સરકારી અને જંગલની જમીન ખાલી કરાવીશું. બટાદ્રવા જેવા સત્રો (વૈષ્ણવ મઠ), આસામના લોકોની સંસ્કૃતિ અને ઓળખનું પ્રતિનિધિત્વ કરે છે.’

સીએમ હિમંતે કહ્યું, ‘તમામ લોકોને.. પછી તે હિંદુ હોય કે મુસ્લિમ, તેઓએ સત્રોની જમીન ખાલી કરવી પડશે. અમે દરેકને અતિક્રમણ કરેલી જમીન ખાલી કરવા વિનંતી કરીએ છીએ. અન્યથા અમારે તેને ખાલી કરાવવી પડશે.’

કોંગ્રેસના ધારાસભ્યની અપીલ પર CM હિમંતાએ શું કહ્યું?

કોંગ્રેસના ધારાસભ્ય રકીબુલ હુસૈને સરકારને વિનંતી કરી કે બટદ્રાવામાં વિસ્થાપિત લોકોની મૂળભૂત જરૂરિયાતો જેમ કે પીવાનું પાણી, ખોરાક પર ધ્યાન આપવાનો આગ્રહ કર્યો. જેના જવાબમાં મુખ્યમંત્રીએ કહ્યું કે વિસ્થાપિત લોકોને પીવાનું પાણી આપવાની કોઈ નીતિ નથી. તેઓએ જમીન પર કબજો કરીને કાયદો તોડ્યો છે, એટલે અમે તેમના માટે કેમ્પ ન બનાવી શકીએ. એનજીઓ તેમના માટે કામ કરી શકે છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો

ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા...
error: Content is protected !!