જિલ્લાના વકીલોએ નિવાસી કલેકટરને આવેદનપત્ર આપ્યું એસ.ઓ.જી પી.એસ.આઇ દ્વારા કરવામાં આવેલ અસભ્ય વર્તન અંગે આવેદન અપાયું
છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર બોડેલી સંખેડા નસવાડી અને કવાટ વકીલ મંડળના સભ્યો આજરોજ જિલ્લા કોર્ટ પટાંગણમાં ભેગા થઈ છોટાઉદેપુર જિલ્લાના સેવા સદન સ્થિત નિવાસી કલેકટરને મહામહિમ રાજ્યપાલ ને સંબોધીને છોટાઉદેપુર જિલ્લા વિવિધ તાલુકાઓના બાર એસોસિએશન ના વકીલો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે,
જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવેલ કે નસવાડી વકીલ મંડળના મહામંત્રી તા,૧૯ મી ડિસેમ્બરના રોજ નસવાડી પોલીસ સ્ટેશન ખાતે પોતાના એક કેસ અંગે રજૂઆત કરવા ગયા હતા. ત્યારે એસ ઓ જી પી એસ આઇ છોટાઉદેપુર એ તેઓ સાથે અસભ્ય વર્તન કર્યું હતું ,નસવાડી વકીલ મંડળના હોદ્દેદાર સાથે અસભ્ય વર્તન કરવામાં આવતા છોટાઉદેપુર જિલ્લાના તમામ વકીલ આલમમાં નારાજગી વ્યાપી હતી.
અને જિલ્લાના તમામ વકીલ મંડળે સ્થાનિક કક્ષાએ આવેદનપત્ર આપ્યા બાદ આજરોજ છોટાઉદેપુર બોડેલી સંખેડા નસવાડી અને કવાંટ વકીલ મંડળના સભ્યો જિલ્લા ન્યાયાલય ખાતે ભેગા થઈ ત્યાંથી જિલ્લા સદન સ્થિત નિવાસી કલેકટરને આવેદનપત્ર આપી એસ ઓ જી પી એસ આઇ દ્વારા એ કોર્ટ ઓફિસરને અપમાનિત કરવા બાબતે તાત્કાલિક શિક્ષાત્મક પગલા ની માંગ કરવામાં આવી છે.