સુરતમાં એક ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં શહેરના અમરોલી વિસ્તારમાં ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુકાતા તેને કારખાનાના માલિક સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.
સુરતમાં એક ત્રિપલ મર્ડરની ઘટના સામે આવી છે, જેમાં શહેરના અમરોલી વિસ્તારમાં ત્રણ લોકોની હત્યા કરી દેવામાં આવી છે. વ્યક્તિને નોકરીમાંથી કાઢી મુકાતા તેને કારખાનાના માલિક સહિત ત્રણ લોકોની હત્યા કરી દીધી છે. આ ઘટના સામે આવતા ચકચાર મચી ગયો છે. પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે.
મળતી માહિતી અનુસાર, આ સમગ્ર ખૂની ખેલ નોકરી માટે ખેલાયો છે. વેદાંત ટેક્સો એમ્બ્રોડરીના માલિક સહિત ત્રણ વ્યક્તિની હત્યા કરી દેવામાં આવી છે. માલિકે કારીગરને નોકરીમાંથી કાઢી મુકતા કારીગરે પોતાના સાથીદારોને બોલાવીને માલિક પર હુમલો કર્યો હતો. કારીગરે કારખાનાના માલિક અને તેમના પિતા પર હથિયારો સાથે હુમલો કર્યો હતો. હુમલો કર્યા બાદ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ ત્રણેય વ્યક્તિના મોત થયા હતા. આ ઘટના બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
કારીગરોએ ધારદાર હથિયારો દ્વારા કારખાનાના મલિક અને તેમના પિતા પર હુમલો કર્યો, જેમાં બચાવવા માટે માલિકના મામા વચ્ચે પડ્યા, જેને કારણે તેમને પણ ઈજાઓ થઈ હતી. તેઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યા તેમના મોત થયા. આ ઘટનાની માહિતી મળતા જ ધારાસભ્ય વિનોદ મોરડિયા મૃતકના પરિવારજનોને મળવા હોસ્પિટલ પહોંચ્યા.