અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીની કેનાલમાં યુવકનો પગ લપશી જતા અડોલ પાસેની કેનાલમાંથી મૃતદેહ મળી આવ્યો

Date:

Share

અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો 22 વર્ષીય સુરેશ ગેનારામ ખીચડ ગત તા. 30મી માર્ચના રોજ પાનોલી જીઆઇડીસીમાં આવેલી કેનાલમાં બોટલમાં પાણી ભરવા ગયા હતા.

 

તે દરમિયાન તેનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ત્યારબાદ તેનો કોઈ પણ પત્તો નહિ લાગતાં આ અંગે તેના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.

બનાવની જાણ પોલીસ મથકમાં કરતાં તેઓએ સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે સુરેશ ખીચડનો મૃતદેહ અડોલ ગામની સીમમાંથી પસાર થતી કેનાલ માંથી મળી આવ્યો હતો.

આ અંગેની જાણ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!