અંકલેશ્વરના પાનોલી જીઆઇડીસીમાં આવેલી ખાનગી કંપનીમાં રહેતો અને મૂળ રાજસ્થાનનો 22 વર્ષીય સુરેશ ગેનારામ ખીચડ ગત તા. 30મી માર્ચના રોજ પાનોલી જીઆઇડીસીમાં આવેલી કેનાલમાં બોટલમાં પાણી ભરવા ગયા હતા.
તે દરમિયાન તેનો પગ લપસી જતા તે કેનાલના પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. ત્યારબાદ તેનો કોઈ પણ પત્તો નહિ લાગતાં આ અંગે તેના પરિવારના સભ્યોને જાણ કરવામાં આવતા તેઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા.
બનાવની જાણ પોલીસ મથકમાં કરતાં તેઓએ સ્થળ પર દોડી આવ્યા હતાં. જોકે સુરેશ ખીચડનો મૃતદેહ અડોલ ગામની સીમમાંથી પસાર થતી કેનાલ માંથી મળી આવ્યો હતો.
આ અંગેની જાણ રૂરલ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.