અંકલેશ્વર પાસે ની આમલાખાડીનો હાઇવે બ્રિજ ઉતરી ટ્રક સીધી આઝાદ શટર નામની દુકાનમાં ઘૂસી જતા બે બાઇક અને દુકાનમાં ભારે નુકશાન થયું હતું જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી.
સુરતથી ભરૂચ તરફ આવી રહેલી એક ટ્રક અંકલેશ્વર પાસે ના નેશનલ હાઇવે પર આમલાખાડી બ્રિજ ઉપરથી સવારે પસાર થઈ રહી હતી.દરમ્યાન ટ્રક ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા હવા મહેલ પાસે ટ્રક દુકાનમાં ધડાકાભેર ઘુસી ગઇ હતી.બનાવમાં આઝાદ શટર નામની દુકાન અને બે બાઇકોને ભારે નુકશાન પોહચ્યું હતું. જોકે, સવારનો સમય હોવાથી દુકાનો બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી આ ઘટના માં ટ્રક ચાલક નો આબાદ બચાવ થયો હતો .