વાલિયા ની શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર ખાતે વર્ષ.1997 મા ધોરણ 10 (ક) મા અભ્યાસ કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને સ્નેહ મિલન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાલિયા ની શ્રી રંગ નવચેતન વિદ્યામંદિર ખાતે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનો સ્નેહ મિલન સમારંભ યોજાયો હતો જેમાં નવચેતન એજ્યુકેશન સોસાયટીના મંત્રી, ટ્રસ્ટીઓ,શાળાના ભૂતપૂર્વ નિવૃત આચાર્ય અને શિક્ષકો સાથે વર્ષ.1997 મા ધોરણ 10 (ક) મા અભ્યાસ કરતાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારના સભ્યો પણ ઉપસ્થિત રહયા હતા.આ સ્નેહ મિલન કાર્યક્રમ માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના ભૂતકાળના સંસ્મરણો વાગોળયા હતા અને શિક્ષકો પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો હતો.ઉચ્ચ કક્ષાએ પહોંચ્યા બદલ શાળા અને શાળાના શિક્ષકોનો આભાર માન્યો હતો.અને શિક્ષકો પણ પોતાના વિદ્યાર્થીઓને 25 વર્ષ બાદ મળી ખૂબ ઉત્સાહિત થયા હતા.