ભરૂચ : શક્તિ નાથ રેલવે ફાટક પાસેથી બે વ્યક્તિના ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર

Date:

Share

પોલીસે હત્યાની આશંકાએ મામલે અંગેની તપાસની કાર્યવાહી હાથ ધરી હતી

 

ભરૂચ ના શક્તિનાથ રેલવે ફાટક વિસ્તાર માંથી બે ઇસમોને ઇજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા ચકચાર..! 

 

ભરૂચ શહેર ના શક્તિ નાથ વિસ્તાર માંથી પસાર થતી રેલવે ફાટક પાસે આજે સવારે બે ઇસમોના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલત માં મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો, બંને મૃતદેહ ને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી પોલીસ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે, આજે સવારે શક્તિ નાથ રેલવે ફાટક વિસ્તારમાં મૂળ દાહોદ ના અને હાલ માં અયોધ્યા નગર ઝૂંપડ પટ્ટી વિસ્તારમાં રહેતા અને મજૂરી કરી ગુજરાન ચલાવતા રાકેશ ચંદુ માવી ઉ.વ આશરે ૩૫ વર્ષ અને ચંદરૂ કાલજી પરમાર ઉ.વ આશરે ૨૬ નાઓ ના મૃતદેહ ઇજાગ્રસ્ત હાલત માં રેલવે ફાટક ની બાજુ માંથી મળી આવ્યા હતા,મજૂરી કામ કરી ગત સાંજ થી ગુમ થયેલા બંને ઇસમોના મૃતદેહ મળી આવતા તેઓની લાશ ને પી.એમ અર્થે ખસેડી રેલવે પોલીસે હત્યા ની આશંકા એ મામલા અંગેની તપાસ શરૂ કરી છે,

 

મહત્વની બાબત છે કે બંને ઈસમો આખરે રેલવે ટ્રેક પાસે કંઇ રીતે પહોંચ્યા તેમજ ભરૂચ-દહેજ રેલવે લાઇન ઉપર ટ્રેનોની અવરજવર પણ ખૂબ ઓછી હોય છે ત્યારે બંને ઇસમોના મોત ટ્રેન ની અડફેટે થયા છે કે પછી કોઈ એ તેઓની હત્યા કરી છે અથવા અન્ય સ્થાને હત્યા કરી લાશો ને ટ્રેક પાસે લાવી ને ફેંકવામાં આવી છે તેવી તમામ બાબતો સમગ્ર ઘટના ક્રમ બાદ થી લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે.

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!