ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારે તેમણે જાહેર કરવાની વાત કરી છે. શ્વેત પત્ર મામલે જ્યાં સુધી લખાણ નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે.
તાપી પાર યોજના બંધ થયા બાદ સરકાર પર આકરા પ્રહારો વિપક્ષ નેતા સુખરામ રાઠવા દ્વારા કરવામાં આવ્યા હતા. આ યોજનાના નાણાં કોના માટે ફાળવ્યા છે. આ પ્રકારના પ્રશ્ન તેમને ઉઠાવ્યા છે. સ્વીકૃતિ વગર કેવી રીતે નાણાં ફાડવામાં આવ્યા છે. તેને લઇને પણ સવાલો ઉઠાવ્યા છે. ભાજપને આદિવાસી મત નથી મળવાના, આદિવાસીઓના પ્રશ્નોને લઇને વહેલી જાહેરાત કેમ ના કરવામાં આવી તે પ્રકારે પણ વિપક્ષ નેતા સુખરામ રાઠવા એનસવાલ ઉઠાવ્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે, ચૂંટણી આવી રહી છે ત્યારે સરકારે તેમણે જાહેર કરવાની વાત કરી છે. શ્વેત પત્ર મામલે જ્યાં સુધી લખાણ નહીં મળે ત્યાં સુધી અમારી આ લડત ચાલુ રહેશે. સુખરામ રાઠવા હતું કે આદિવાસીઓને કનડતી હતી તે યોજના બંધ કરી છે, તેવી જાહેરાત કરી છે. હું પૂછવા માંગુ છું કે આ સરકાર યોજનાના પૈસા તમારા બજેટમાં 500 કરોડ રૂપિયા કોના માટે ફાળવવામાં આવ્યા છે. સી.એમ. જે તે રાજ્યની વિધાનસભા મંત્રીમંડળ જ્યાં સુધી સ્વીકૃતિ નહીં કરે ત્યાં સુધી યોજનાનો અમલ થતો નથી ત્યારે તમે સ્વીકૃતિ કર્યા વિના જ કેવી રીતે યોજના બંધ થી તેવું માનવું. આદિવાસીઓના મત ભાજપને નથી મમળવાના.આ દક્ષિણ ગુજરાતમાંથી ભારતીય જનતા પક્ષના પગ નીચેથી આખી ધરતી સરકી રહી છે અને આ વાતને જાણી ગયેલી ભાજપની સરકાર આદિવાસી લોલીપોપ આપવાનું કામ કરી રહી છે તેમ સુખરામ રાઠવા વિપક્ષી નેતાએ જણાવ્યું હતું.