ઇન્ડિયન નેવીના ભવ્ય ઇતિહાસ સાથે સૂર્યપુત્રી તાપી નદીના કિનારે વસેલું શહેર સુરતનું નામ પણ બાકાત નથી રહેતું. સુરતનું ગૌરવ વધારતા અહેવાલો જણાવી રહ્યા છે કે, રક્ષા મંત્રી રાજનાથ સિંહ 17 મેના રોજ ભારતીય નૌસેનાના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજોને લોન્ચ કરશે. આ યુદ્ધ જહાજો ‘સુરત’ અને ‘ઉદયગીરી’ છે. સુરત એ 15B ડિસ્ટ્રોયર પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે અને ઉદયગીરી એ 17A ફ્રિગેટ પ્રોજેક્ટનું યુદ્ધ જહાજ છે. ભારતીય નૌસેનાના એક અધિકારીએ જણાવ્યું હતું કે દેશ સ્વદેશી યુદ્ધ જહાજના નિર્માણના ઇતિહાસમાં એક ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બનશે જ્યારે ભારતીય નૌકાદળના બે ફ્રન્ટલાઈન યુદ્ધ જહાજો 17 મેના રોજ મુંબઈમાં મઝાગોન ડક્સ લિમિટેડ ખાતે એક સાથે લોન્ચ કરવામાં આવશે..
ઝાલોદ ખાતે યોજાયેલા એક લગ્નપ્રસંગમાં રાજસ્થાનના આદિવાસી મંત્રી શ્રી મહેન્દ્ર માલવિયા સાહેબ સાથે ગરબાડા ના ધારાસભ્ય હાજરી આપી પ્રાપ્ત માહિતી અનુસાર ગરબાડા તાલુકા 133 વિધાનસભાના વિસ્તારના ધારાસભ્ય ચંદ્રિકાબેન બારીયા એ તથા રાજસ્થાનના આદિવાસી મંત્રીશ્રી મહેન્દ્રસિંહ માલવિયા સાહેબ સાથે ઝાલોદ તાલુકામાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં હાજરી આપીને નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા