ભરૂચ એલસીબી પોલીસે રાજ પીપળા ચોકડી નજીકથી ચાંદીના કંદોરા સાથે એક ઇસમને ઝડપી પાડયો.
બનાવની પ્રાપ્ત ભરૂચ એલસીબી પાસેથી મળતી માહિતી અનુસાર એલસીબી પોલીસ સ્ટાફ ઉપલા અધિકારીઓની સૂચના મુજબ તેમજ જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન માહિતી મળી હતી કે રાજપીપલા ચોકડી નજીક આવેલ નમક ફેક્ટરી પાસે એક ઈસમ ચાંદીનો કંદોરો વેચાણ કરવા ફરી રહ્યો છે
જેથી પોલીસે બાતમી વાળી જગ્યા નજીક વોચ ગોઠવતા માહિતી વાળા ઇસમને પૂછપરછ કરતાં પોતાનું નામ અરવિંદભાઈ ભીખાભાઈ ચુનારા જણાવેલ પોલીસે પકડાયેલ ઈસમ પાસે
રહેલ ૬૭૬ ગ્રામ ચાંદીના કંદોરા વિશે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ ના આપતા પોલીસને પ્રથમ દ્રષ્ટિએ આ ચાંદીનો કંદોરો ચોરી અથવા છલ કપટથી મેળવ્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું જેથી ઉપરોક્ત પકડાયેલ ઇસમ નાઓ પાસેથી ચાંદીનો કંદોરો જેની આશરે કિંમત રૂ ૩૩ હજાર નો મુદ્દા માલ સીઆરપીસી ની કલમ 41 1 d મુજબ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.