પાનોલી નજીક બાકરોલ બ્રિજ પાસેની દુકાન માંથી શંકાસ્પદ એસ, એસ ના વાલ્વ સાથે ત્રણ ઈસમોને ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા.
ભરૂચ જિલ્લા માં ગુનાખોરી ની ઘટનાઓને ડામવા માટે જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા ના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકના કર્મીઓ સતત જિલ્લા ના અનેક સ્થળે દરોડા પાડી રહ્યા છે, તેમજ ગુનાખોરી ને અંજામ આપતાં તત્વો ને જેલ ના સળીયા પાછળ પણ ધકેલી રહ્યા છે, તેવામાં ભરૂચ ક્રાઇમ બ્રાંચ ને વધુ એક સફળતા હાસિલ થઈ હતી.
ભરૂચ ક્રાઇમ બ્રાંચ ના કર્મીઓ પેટ્રોલિંગ માં હતા દરમ્યાન મળેલ બાતમીના આધારે જિલ્લા ના પાનોલી નજીક આવેલ બાકરોલ બ્રિજ પાસેની એક દુકાન માં દરોડા પાડ્યા હતા, ક્રાઇમ બ્રાંચ ના દરોડા દરમ્યાન 280 કિલો ગ્રામ જેટલાં એસ, એસ ના વાલ્વ શંકાસ્પદ અવસ્થામાં મળી આવ્યા હતા.
જે બાદ મામલે ક્રાઇમ બ્રાંચ દ્વારા (1) બાબુ સિરાજ અંસારી રહે, યોગી નગર સારંગપુર અંકલેશ્વર (2) ગોકુલ લાલા શાહુ રહે, બાકરોલ અંકલેશ્વર તેમજ (3) રામ અવતાર ગણપત દાસ સ્વામી રહે, બાકરોલ, અંકલેશ્વર નાઓની ધરપકડ કરી તમામ પાસેથી કુલ 83 હજાર ઉપરાંત નૉ મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.