જો હું ઉદયપુર ગયો હતો તો મારા સમાજના સર્વમાન્ટ નેતાને ના મળી શક્યો હોત અને આગળના દિવસ ના ગયો હોત તો ઈડરના કાર્યક્રમમાં ના જઈ શક્યો હોત
આજે ખોડલધામમાં મળેલી પાટીદાર આગ્રણીઓની બેઠકમાં હાર્દિર પટેલે કહ્યું કે, હા હું કોંગ્રેસથી નારાજ છું આ વાત જગજાહેર છે હાર્દિક પટેલે પહેલીવાર સ્પષ્ટતા કરી હતી. હાર્દિક પટેલે કોંગ્રેસની બેઠકમાં હાજર ના રહેવા બદલ સ્પષ્ટતા કરતા કહ્યું કે, જો હું ઉદયપુર ગયો હતો તો મારા સમાજના સર્વમાન્ટ નેતાને ના મળી શક્યો હોત અને આગળના દિવસ ના ગયો હોત તો ઈડરના કાર્યક્રમમાં ના જઈ શક્યો હોત. જ્યાં સુધી મુદ્દાનું નિરાકરણ ના આવે ત્યાં સુધી હું ત્યાં જઈને શું ચર્ચા કરું. હું નારાજ છું એ જાહેર છે.
હુ ગુજરાત રાજ્યનો કાર્યકારી પ્રમુખ છું તો મારી જવાબદારી તો મારી જવાબદારી નક્કી હોવી જોઈએ. અમે પાર્ટીને આપ્યું છે લીધું નથી. કોંગ્રેસ સાથે લોકોને જોડવાનો પ્રયત્ન કર્યો છે. સામાજિક કાર્યક્રમો નક્કી હતા એટલા માટે હું ઉદયપુર જઈ નથી શક્યો. રાજકારણમાં આવવું જોઈએ, સમાજ અને લોકોના હિતમાં આ કામ થઈ શકે છે માટે રાજકારણમાં નરેશ પટેલે આવવું જોઈએ. ભવિષ્યમાં શું પરીબળો બને છે તે વિશે આપણે અત્યારે કહી શકતા નથી. નરેશ પટેલનો જે કંઈ પણ નિર્ણય હશે એમના સમર્થનમાં છું જ તેમના રાજકારણમાં જોડાવવાની જનતાને ફાયદો થશે એ વાત હકીકત છે. તે હાર્દિક પટેલે મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું.