અંકલેશ્વર ના બિસ્માર માર્ગો માટે મુમતાઝ પટેલ આવ્યા સામે, રસ્તા રીપેરીંગ માટે કરાઈ કલેકટર ને રજૂઆત
આગામી સમય માં લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે,, તે પહેલા જ જિલ્લાના વિસ્તાર માં આવેલ સ્થળો ઉપર પોલીસ વિભાગે દરોડા પાડી અનેક લોકોને જેલ ના શણિયા ખાતા કર્યા છે, તેવામાં હવે બિસ્માર માર્ગો ના મુદ્દે ભરૂચ કી બેટી મુમતાઝ પટેલ સામે આવ્યા છે.
મુમતાઝ પટેલ દ્વારા અંકલેશ્વર ના જીન વાળા સ્કૂલ થી લઈ પીરામણ ગામ સુધી માં માર્ગનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી લોક માંગ સાથે તેઓએ જીલ્લા કલેકટર તુષાર સુમેરા ને આવેદન પત્ર સુપ્રત કર્યું હતું.
મહત્વ નું બાબત છે કે અંકલેશ્વર મહાવીર ટર્નીંગ થી લઈ ત્રણ રસ્તા સુધી ના માર્ગ વચ્ચે આવતા ફ્લાય ઓવર બ્રિજ ની કામગીરી હાલ મા ચાલી રહી છે, જે બાદ તંત્ર દ્વારા હંગામી ધોરણે પીરામણ ગામ તરફ થી સ્ટેશમ ના આગળ ના ભાગ ને જોડતા માર્ગ મેં ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
પરંતુ માર્ગ એટલો બિસ્માર હાલત મા બન્યો હતો કે ત્યાં થી પસાર થવું પણ મુશ્કેલી સમાન બન્યું હતું, જે બાદ સમગ્ર મામલા ની નોંધ લઈ આખરે ભરૂચ કી બેટી તરીકે પ્રખ્યાત એવા મુમતાઝ પટેલે જિલ્લા કલેકટર ને લેખિત મા રૂબરૂ જઈ આવેદન પત્ર પાઠવી આગામી દિવસો મા આ માર્ગ નું તાતકાલિક ધોરણે રીપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવે તેવી માંગ ઉચ્ચારી હતી.