કૃપયા ધ્યાન દે…આપકી ગાડી કહી લોક તો નહિ હુઈ… અંકલેશ્વર માં પોલીસ ની કામગીરી વાહન ચાલકો માટે મુશ્કેલી સમાન બની, પાર્કિંગ ન હોવાના કારણે વાહન ચાલકો જાયઃ તો જાયઃ કહા જેવી સ્થિતિમાં

Date:

Share

ભરૂચ-અંકલેશ્વર ના મુખ્ય માર્ગો ઉપર અનેક વેપાર ધંધા અને ઓફિસો સહિત સરકારી વિભાગો આવેલા છે, આ સ્થળો સતત વાહન વ્યવહાર થી ધમ ધમતા જોવા મળે છે, પરંતુ અહીંયા મુખ્યત્વે પાર્કિંગ ની કોઈ નક્કર સુવિધા વાહન ચાલકો માટે જોવા તો દૂર નજરે પણ પડતી નથી, જેને લઈ કેટલાક વાહન ચાલકો રસ્તા ની સાઇડ ઉપર જ ગાડીઓ પાર્ક કરી પોતાનું કામકાજ ખતમ કરતા હોય છે,

 

આ બધા વચ્ચે ભરૂચ પોલીસ ની કામગીરી એ વાહન ચાલકો ની ઊંઘ ઉડાવી હોય તેમ લાગી રહ્યું છે, કામ અર્થે ગાડી પાર્ક કરી ગયેલા વ્યક્તિઓ જયારે પોતાની ગાડી પાસે આવે છે ત્યારે તેઓને કડવો અનુભવ થતો હોય છે, જ્યાં તેઓની ગાડી લોક મારેલી હાલત માં નજરે પડતી હોય છે, અને લોક ખોલાવવા માટે દંડ પેટે તેઓને ભરપાઈ કરવાની નોબત આવતી હોય છે, તેવામાં લોકો તંત્ર સવાલ પૂછી રહ્યા છે કે આખરે ગાડી લઈ ને નીકળ્યે તો પાર્કિંગ ની કરવી તો ક્યાં કરવી..? શું તંત્ર એ પાર્કિંગ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થાઓ પ્લાનિંગ પ્રમાણે કરી છે.? શું કોઈ ખાનગી પાર્કિંગ ની વ્યવસ્થા માટે કોઈ પહેલ કરી છે.? આ પ્રકાર ના તમામ સવાલો હાલ પોલીસ ની કામગીરી બાદ થી દંડી ત થતા વાહન ચાલકો પૂછતાં નજરે પડી રહ્યા છે,

 

તો બીજી તરફ પોલીસ પણ દંડી ત વાહન ચાલકો ને કાયદા ના પાઠ શીખવતી હોય છે… પરંતુ અહીંયા હવે સવાલ એ થાય છે કે ભરૂચ અંકલેશ્વર ના માર્ગો ઉપર વાહનો લઈ નીકળતા વાહન ચાલકો પાર્કિંગ ની સુવિધા થી વંચિત હોય દંડ ભરી ને લાચારી અનુભવતા થઈ ગયા હોવાનું કહેવાય રહ્યું છે, ત્યારે વાહન ચાલકો જાય તો જાય કહા જેવી સ્થિતિ માં હાલ તો વાહન લઈ નીકળી રહ્યા છે.

Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!