ભરૂચ-અંકલેશ્વરને જોડતા જુના નેશનલ હાઇવે નંબર 8 પર પુનઃ છાપરા પાટિયા અને ભૂત મામાની ડેરી વચ્ચે આવેલી ખાડીમાં મગર લટાર મારતો જોવા મળ્યો હતો. મગર રોજબરોજ પાણીમાંથી બહાર આવી મગર કિનારે આવી બેસી જાય છે. ત્યારે મગર કિનારે નજરે પડતા લોક ટોળા જામ્યા હતા. આ મગરને પકડવા માટે વન વિભાગ દ્વારા પાંજરા મૂકી તેને પકડવાની કામગીરી હાથ ધરાઈ છે, પરંતુ આ મગર આજદીન સુધી નહીં પકડ્યો નથી.
જોકે અત્રે ઉલ્લેખનીય છે કે, મગરને પકડવા માટે મારણ મુકવામાં આવે છે, પરંતુ આ પીંજરું ખાલી હોવાના કારણે મગર પકડમાં નહીં આવતો હોવાની લોક ચર્ચાઓ ઉઠી છે.