તહેલકા અખબાર ની વધતી લોકપ્રિયતાને ધ્યાને લઈને રાજકોટ ખાતે તહેલકા અખબારની સૌરાષ્ટ્ર બ્રાન્ચનું ભવ્ય ઉદઘાટન
તહેલકા અખબાર અને ચેનલ સમગ્ર ગુજરાત રાજ્યમાં વાંચક મિત્રોના સહકારથી એક આગવી લોકપ્રિયતા ધરાવે છે. જેને ધ્યાને લઈને તહેલકા અખબાર અને ચેનલ દ્વારા સૌરાષ્ટ્ર બ્રાન્ચની ઓફિસનું ઉદ્ઘાટન રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટનમાં મુખ્ય અતિથિ તરીકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી,રાજકોટના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ,મેયર નયનાબેન પેઢાડિયા હાજર રહ્યા હતા.
તેમજ તહેલકા અખબારના તંત્રી દિલીપભાઈ ખાચર પણ હાજર રહ્યા હતા. ઉદ્ઘાટન ના કાર્યક્રમમાં સ્વામિનારાયણ મંદિરના સંતોએ પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજરી આપી હતી અને તંત્રી દિલીપભાઈ ખાચરને સાલ ઓઢાડીને સન્માન કર્યું હતું.તેમજ મોમેન્ટો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.મીડિયા ઓફિસ શરૂ કરવામાં આવતા તમામ પત્રકાર મિત્રોએ શુભેચ્છાઓ પાઠવી હતી. અને અખબારના વાંચકોએ પણ આ પ્રસંગને વધાવી લીધો હતો.