ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરો થી સ્થાનિકો પરેશાન
તંત્ર માં રજુઆત છતાં પરિણામ શૂન્ય, રજુઆત કરતાઓને શાસકોએ બનાવ્યા ફૂટબોલ સમાન
ભરૂચ તાલુકાના ઉમરા અસુરીયા ગામ ખાતે છેલ્લા કેટલાક સમય થી ઉભરાતી ગટરો અને તૂટેલી ચેમ્બરો ના કારણે ગ્રામજનો મુશ્કેલી માં મુકાયા છે, ગટરો માંથી ગન્દા પાણી જાહેર માર્ગ ઉપર જ વહેતું નજરે પડે છે, ગ્રામજનો દ્વારા મામલે પંચાયત માં અવાર નવાર રજુઆતો કરવામાં આવી છે, છતાં આજદિન સુધી આ કામગીરી કરવામાં ઢીલાશ દાખવવા માં આવી રહી છે.
મામલે સ્થાનિક ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા કે આ પ્રકાર ની સમસ્યા અંગે ગામના તલાટી ને મૌખિક માં રજુઆત કરી હતી જોકે તલાટી એ ગ્રામ જનો ને ઉડાઉ જવાબ આપી જણાવ્યું હતું કે મને માણસો નથી મળતા તમે માણસો લાવી જાતે જ આ કામ કરાવી લ્યો જેવા શબ્દો ઉચ્ચારયા હતા જે બાદ મામલે ગ્રામજનો માં પંચાયત શાસકો સામે આક્રોશ ઉભો થયો છે.