અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર કનૈયા મિત્તલ દ્વારા અમૃત ભજન સંધ્યા શ્યામ ભક્તોએ આ અમૃત ભજન સંધ્યા અને બાબાની અદ્દભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ગત રોજ રાત્રી એ અમરત પુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ જિલ્લા માં અને અંકલેશ્વર ખાતે સૌ પ્રથમ વખત ગત રોજ સમગ્ર વિશ્વમાં શ્યામ ભક્તિની જ્યોત જગાવનાર સ્વર સમ્રાટ, શ્યામ પ્રેમી ભજનિક કનૈયા મિત્તલ અને પરવિંદર પલક, નિશા સાથે, અને ગોવિંદ શ્યામ એક અમૃત ભજન સંધ્યા અને શ્યામ વાણી થી લોકો ની રમઝટ મચાવી લોકો ની ઝુમાવ્યા હતા ભક્તિભાવ સાથે બાબાની ભવ્ય ઝાંખીના દર્શન કરવા લોકો એ લાંબી કતાર લગાવી અને શ્યામ રસની જ્યોત ને જગાડવા પ્રથમવાર અંકલેશ્વરમાં ભવ્ય અને સુંદર આયોજન અગ્રવાલ બિલ્ડર દ્વારા કરાયુ હતું શ્યામ ભક્તોએ આ અમૃત ભજન અને બાબાની અદ્દભુત મૂર્તિ અને અલૌકિક શૃંગારના દર્શન કરી અને કીર્તન આનંદ માન્યો હતો જે સમગ્ર કાર્યક્રમ સાંજે 6 કલાકે અમરત પુરા એરપોર્ટ સામે બેન્સન હોટલની પાછળ ભવ્ય મંડપ માં 15 હજાર થી વધુ ભાવિક ભક્તો આરામ થી બેસી ને ભજન સંધ્યા ને લાભ લઇ શકે તેવી સુંદર વેવસ્તા કરવા માં આવી હતી. જેનો લાભ લેવા શ્યામ ભક્તો ને ગુજરાત ના ખૂણે ખૂણે થી કનૈયા મિત્તલ ની શ્યામ વાણી ને સાંભળવા લોકો ઉમટી પડ્યા હતા અને ભાવિક ભક્તો માટે મહા પ્રસાદી ની આયોજન પણ કરવા આ આવ્યું હતું જેમાં લોકો દ્વારા ફરી થી આવું સુંદર આયોજન થાઈ તેવી માંગ મુકવા આ આવી હતી.સાથેસાથે સુંદર આયોજન બદલ અગ્રવાલ બિલલ્ડસ નો આભાર પણ માન્યો હતો