ભાષણ મામલે પણ યોગ્ય કાનુની પગલા લેવામાં આવશે. ઠાકરે સામે 153, 116, 117 હેઠળ ફરીયાદ નોધવામાં આવી
રાજ ઠાકરે એ રવિવારના રોજ ભડકાઉ ભાષણ ઔરંગાબાદમાં કર્યું હતું.ભડકાઉ ભાષણ મામલે ઔરંગાબાદ પોલીસે રાજ ઠાકરે સામે ફરીયાદ નોંધી છે.
આ ઉપરાંત લાુડ સ્પીકરો 4 તારીખે બંધ કરાવવાના મામલે કાનુની ચેતવણી આપવામાં આવી છે. જેથી ભાષણ મામલે પણ યોગ્ય કાનુની પગલા લેવામાં આવશે. ઠાકરે સામે 153, 116, 117 હેઠળ ફરીયાદ નોધવામાં આવી હતી. સભાના આયોજકો સામે પણ પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.
લાઉડસ્પીકર વિવાદ મામલે રાજ ઠાકરે એ રવિવારે ઔરંગાબાદમાં જાહેર સભામાં કહ્યું કે, અમે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. પરંતુ ઈદ 3જી મેના રોજ છે. હું આ તહેવારને બગાડવા માંગતો નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી પૂરી કરો, નહીં તો અમે 4 મે પછી કોઈનું સાંભળીશું નહીં. રાજ ઠાકરેના આ પ્રકારના નિવેદનને લઈને ખળભળાટ મચી ગયો હતો.
રાજ ઠાકરે એ વધુમાંઔરંગા બાદમાં કહ્યું કે, અમારી માંગ પૂરી નહીં થાય તો અમે હનુમાન ચાલીસાનો પાઠ બમણી તાકાતથી કરીશું. જો અમારી વિનંતી ન સમજાય તો અમે અમારી રીતે તેનો સામનો કરીશું. જેથી તેમનું કહેવું હતું કે, રાજ ઠાકરેએ માત્ર ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.
By.Afzal Pathan