ઔરંગાબાદમાં પોલીસે રાજ ઠાકરે વિરુદ્ધ કેસ દાખલ કર્યો, ભડકાઉ ભાષણ કર્યું હતું

Date:

Share

ભાષણ મામલે પણ યોગ્ય કાનુની પગલા લેવામાં આવશે. ઠાકરે સામે 153, 116, 117 હેઠળ ફરીયાદ નોધવામાં આવી

રાજ ઠાકરે એ રવિવારના રોજ ભડકાઉ ભાષણ ઔરંગાબાદમાં કર્યું હતું.ભડકાઉ ભાષણ મામલે ઔરંગાબાદ પોલીસે રાજ ઠાકરે સામે ફરીયાદ નોંધી છે.

આ ઉપરાંત લાુડ સ્પીકરો 4 તારીખે બંધ કરાવવાના મામલે કાનુની ચેતવણી આપવામાં આવી છે. જેથી ભાષણ મામલે પણ યોગ્ય કાનુની પગલા લેવામાં આવશે. ઠાકરે સામે 153, 116, 117 હેઠળ ફરીયાદ નોધવામાં આવી હતી. સભાના આયોજકો સામે પણ પોલીસ ફરીયાદ કરવામાં આવી હતી.

 

લાઉડસ્પીકર વિવાદ મામલે રાજ ઠાકરે એ રવિવારે ઔરંગાબાદમાં જાહેર સભામાં કહ્યું કે, અમે મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવા માટે 3 મે સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે. પરંતુ ઈદ 3જી મેના રોજ છે. હું આ તહેવારને બગાડવા માંગતો નથી. અમે સરકારને વિનંતી કરીએ છીએ કે અમારી માંગણી પૂરી કરો, નહીં તો અમે 4 મે પછી કોઈનું સાંભળીશું નહીં. રાજ ઠાકરેના આ પ્રકારના નિવેદનને લઈને ખળભળાટ મચી ગયો હતો.

 

રાજ ઠાકરે એ વધુમાંઔરંગા બાદમાં કહ્યું કે, અમારી માંગ પૂરી નહીં થાય તો અમે હનુમાન ચાલીસાનો પાઠ બમણી તાકાતથી કરીશું. જો અમારી વિનંતી ન સમજાય તો અમે અમારી રીતે તેનો સામનો કરીશું. જેથી તેમનું કહેવું હતું કે, રાજ ઠાકરેએ માત્ર ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું.

By.Afzal Pathan

 


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!