જાણો કયો બ્રિજ ભરૂચ નો જેને લોકો સુસાઇડ પોઇન્ટ ના નામ થી ઓળખતા થયા.

Date:

Share

જાણો કયો બ્રિજ ભરૂચ નો જેને લોકો સુસાઇડ પોઇન્ટ ના નામ થી ઓળખતા થયા, ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પર મોંઘીદાટ બાઇક મૂકી યુવકે નદીમાં લગાવી છલાંગ, નાવિક બન્યો દેવદૂત

 

ભરૂચ નર્મદા મૈયા બ્રિજ ભુસ્કા બ્રિજ બની રહ્યો છે, પંદર દિવસે મહિને હાલ તા ચાલતા લોકો બ્રિજ પરથી આવી નદીમાં છલાંગ લગાવી રહ્યાં છે.

 

આજે શુક્રવારે પણ વધુ એક નદીમાં મોતની છલાંગની ઘટના બની હતી. જોકે ભલું થજો માછીમારો નાવિકોનું જેઓ બ્રિજ નીચે જ હોડકું લઈ નદીમાં હોય યુવાનને નદીમાં કુદતા ભેર જ બચાવી લીધો હતો.

 

ભરૂચના મિલેનિયમ માર્કેટ પાછળ રહેતો કિશન વસાવા તેની બાઇક લઈ નર્મદા મૈયા બ્રિજ પર પોહચી ગયો હતો. બ્રિજ પર બાઇક મૂકી તેને નદીમાં ભુસ્કો મારી દીધો હતો. આ સમયે બ્રિજ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોએ તેમનું વાહન ઉભું રાખી બુમરાણ મચાવી હતી.

 

બીજી તરફ નદીમાં રહેલા નાવિકોએ તરત ડૂબતા યુવાન પાસે પોહચી તેને બચાવી લઈ કિનારે લઈ આવ્યા હતા. જોકે નદીમાં છલાંગ લગાવ્યા બાદ યુવાન સુન મારી ગયો હતો. ઘટનાની જાણ તેના પરિજનોને થતા હોસ્પિટલ બાદ તેને ઘરે લઈ ગયા હતા. યુવાને ક્યાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે સામે આવ્યું નથી.

 

સ્યુસાઇડ અને ભુસ્કા બ્રિજ બની રહેલા નર્મદા મૈયા બ્રિજની બંને તરફ રેલિંગ સત્વરે લગાવવા ફરી માંગ ઉઠી છે. રેલિંગ લગાવી આપઘાત કરવા આવતા લોકોના કૂદી પડવાના બનાવો અટકાવવા જરૂરી બન્યા છે.

 

રીપોર્ટર અફઝલ પઠાણ ભરૂચ


Share

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Subscribe

Popular

More like this
Related

અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી

-અંકલેશ્વરના ચોથી જાગીરના પ્રહરીઓએ અનોખી મતદાર જાગૃકતા રેલી યોજી -...

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત, ટિકિટ માટે પગપેસારો.

કોંગ્રેસના ચાણક્ય એવા દિવંગત અહેમદ પટેલના પુત્રની ખરાબ હાલત,...
error: Content is protected !!