દહેજમા ગામની મુખ્ય ગટરમાં એપ્રિલમાં રજાના દિવસે સરપંચ જયદીપસિંહ રણા, મહિલા ડે. સરપંચના કારભારી પતિ મહેશ ગોહિલે ત્રણ સફાઈ કામદારોને ગેરકયાદેસર અઢી ફૂટ પોહળી અને 20 ફૂટ ઊંડી ગટરમાં ઉતાર્યા હતા.
મશીનથી સાફ કરાવવાની ડ્રેનેજમાં માણસોને વગર સુરક્ષાએ ઉતારતા ગૂંગળામણથી ત્રણેય સફાઈ કામદારો મોતને ભેટ્યા હતા. જે ઘટનાના રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ સુધી ઘેરા પ્રત્યાઘાત પડવા સાથે રાજ્ય સરકારને પણ નોટિસ અપાઈ હતી. ભરૂચ પોલીસે ઘટનામાં દોષિત સરપંચ, ડે. સરપંચના પતિ અને તલાટી સામે સદોષ માનવ વધનો ગુનો દાખલ કરી તેઓની ધરપકડ કરી હતી.
જોકે ઝાલોદનો કોન્ટ્રકટર ઘટના બાદથી ફરાર થઇ ગયો હતો. કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ પણ જારી કર્યું હતું. દરમિયાન LCB PSI પી.એમ.વાળા અને તેમની ટીમને વોન્ટેડ વાલા વરસિંગ મુનિયા સુરતમાં મજૂરાગેટ નજીક સિવિલ હોસ્પિટલ પાસે હોવાની બાતમી મળતા તેને હિરાસતમાં લઇ લેવાયો છે.